તેમણે એવું પણ કહ્યું કે, સમાજના વિવિધ વર્ગો જેવા કે લારી-ગલ્લાવાળા, રિક્ષા ચાલકો અને જેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા છે તેવા પીડિત પરિવારોના પ્રતિનિધિઓને પણ આ વખતે તક આપવામાં આવશે. મહાનગરોમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા સર્વસંમતિથી નક્કી કરાયેલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે. ભાજપના શાસનથી પીડાતા અને અન્યાય અનુભવતા જનતાના આક્રોશને હવે પરિવર્તનમાં બદલવા માટે કોંગ્રેસે કમર કસી છે.